આજે ૨ ઓક્ટોબરે ગાંધીજી નાં જન્મદિને મનમાં રહી રહીને એક જ વિચાર ઘૂમે છે કે જો ગાંધીજી જીવતા હોત તો આજનું ભારત , આજના ભારત-પાકિસ્તાનના સંબંધો જોઈને શું અનુભવેત??? એ સત્ય, અહિંસાનાં પુજારીએ જે સ્વાયત્તતાનું સ્વપ્ન જોયું હતું એ આ છે??? આજના નેતાઓ ભલેને તે કોંગ્રેસ પક્ષના હોય શું ખરેખર ગાંધીજીના પોલીટીકલ વારસદારો છે???? આ મહાન આત્મા શું આજની રાજકારણની ગંદી રમત થકી દુ:ખી નહી થતો હોય???? આજના નેતાઓની આચાર અને વિચારોની અસંતુલીતતા જોઈ તેમનો આત્મા રડતો નહી હોય???? જો ખરેખર ગાંધીજીને સાચી અને પુરા દિલથી તેમના જન્મદિને હાર્દિક શ્રદ્ધાંજલિ આપવી હોય તો આ દેશના દરેક નાગરિકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે, કમસેકમ તેમાં સહયોગ આપવાનો તો બંધ કરવો જ જોઈશે. આજના નેતાઓ પાસેથી તેમના થકી થયેલા લોક-કલ્યાણના કાર્યોનો હિસાબ માગવો જ પડશે. સત્ય અને અહિંસા શબ્દનો વાતોમાં જ નહી વર્તનમાં પણ ઉપયોગ કરવો પડશે. બાકી આજે તો ચિત્ર કંઈક આવું છે…!!!!!
ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,
થાય એટલો તારો ઉપયોગ થઇ ગયો……!!!
સત્ય-અહિંસાના સિદ્ધાંત તારા ઠાલાં ઠર્યાં,
બેઈમાનીનાં રૂપિયામાં હસતો રહી ગયો…..!!!!!
રાષ્ટ્રપિતાનું બિરુદ દઈને હાલ એ થયા,
સરકારી કચેરીઓની ભીંતે લટકતો થઇ ગયો….!!!
સત્તા આગળ શાણપણ નકામું જ ઠર્યું,
તું સત્તા સુધી પહોંચવાનો રસ્તો બની ગયો…..!!!!
મૌસમી મકવાણા – ‘સખી’
juzar vora
ઓક્ટોબર 06, 2010 @ 10:39:48
સત્તા આગળ શાણપણ નકામું જ ઠર્યું,
તું સત્તા સુધી પહોંચવાનો રસ્તો બની ગયો…..!!!!
very nice….
laaganee
ઓક્ટોબર 16, 2010 @ 00:05:43
Thank you sir….. very happy 2 see you after long time….. Thanks 4 your visit & Inspiration..
juzar vora
ઓક્ટોબર 17, 2010 @ 10:46:46
hello mosmeeben,
i like ur poems artiles too, plz dont tell me sir, i don’t like it, i repect u all the way…
waiting 4 ur good poem…
reagrds…
juzar
pradipkumar raol
જાન્યુઆરી 24, 2011 @ 10:39:50
Dear mausamiben,
Ghandhiji is a father of a nation and possessed tremendous will power and strength of character. However as a father of a nation he failed in his parental duty by agreeing to partitioning of India.When hindus were subjected to attacks in pakistan, he kept silence.The congress surrendered to Jinnah. Any way we have lot to learn from Ghandhiji and his equality principles.
Bhupendrasinh Raol
મે 19, 2011 @ 17:39:51
બહેના,
ગાંધીજી વિષે બે આર્ટીકલ મુક્યા છે મારા બ્લોગમાં.
Rafik Ghanchi
જાન્યુઆરી 06, 2012 @ 22:54:54
” I am born to perish the British Government. I will die the death of crow or dog , but without attaining the poorna swaraj. I will not return to Ashram.”
-Mahatma gandhi